• myspiritualvoice2025@gmail.com

சங்கீதம் - 15

Old Testament

Header
shape
Old Testament
சங்கீதம் - 15

1. હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?

2. જે સાધુશીલતા પાળે છે, જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.

3. તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી, તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી. તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી; અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.

4. તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

5. તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને તે કોઇનું શોષણ કરતો નથી. તે નિદોર્ષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી. જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.